મૈન પેજ
અલવી બોહરા જાગૃતિ સૈયદના અલી ઝીંદાબાદ
અમારો અહિયાં એકજ મકસદ છે કે અલવી બોહરા દાવત જે દિન છોડી ને પૈસા પાછળ પડી ગયેલી છે એને સીધા રસ્તે લાવીએ. જયારે દાવત દિન તરફ પાછી આવી જાશે તયારે આ વેબસાઈટ બંધ થઈ જાશે.
દાવત આ સવાલો ના જવાબ આપો
(1) હકક-ઉન-નફ્સ માટે દાવત ને પૈસા આપવા કઈ કિતાબ માં લખેલું છે?
(2) સૈયદના અલી (આ કુ) ની કબર ને ખોઈ દેવા માટે કોણ ઝિમ્મેદાર?
(3) મોટું મૈયત નાનું મૈયત, આમિર ગરીબ માં ફર્ક શું કામ?
(4) ઉમરા કરબલા માટે દાવત ની ટૂર અને સલામ ફરજીયાત કઈ કિતાબ માં લખેલું છે?
(5) કેટલી ઝકાત કઈ રીતે જમાત માં પહોંચાડો છો?
(6) નવા ઘર માં પગલાં લેવા ફરજીયાત એ કઈ કિતાબ માં લખેલું છે?
(7) આશુરા માં ભી પૈસા થી સલામ અને મેવા ના થાળ?
(8) મીસાક માં મોટી રકમ આપવી ફરજીયાત એ કઈ કિતાબ માં લખેલું છે?
(9) કર્ઝે હસના ક્યારે આપવાનું ચાલુ કરશો?
(10) બુત પરસ્તી ની ફ્રેમ વેચનાર પાછળ નમાઝ પડાય?
(11) તમાકુ ખાવા વાળા પાછળ ઇમામત ની નમાઝ પડાય?
(12) બુનૈયાત કંપની ની લૂંટ ક્યારે બંધ કરશો?
(13) મય્યત ના વકત માં દાવત ક્યારે જુલ્મ બંધ કરશે?